ભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ

  • May 09, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાહેર જનતાને આ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લેવા કરાઈ અપીલ


આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજી ની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્સર કેર કાઉન્સિલ, ઓસ્વાલ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજના સહયોગ થી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, કુંવરભાઈ ધર્મશાળા પાસે, જામનગર ખાતે, તારીખ : ૧૦-મેં-૨૦૨૪ (શુક્રવાર), સમય સવારે ૦૯ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે. જામનગર ની જનતા ને વધુ માં વધુ આ સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લેવા રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા અપીલ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય પરશુરામ સેના ગુજરાત પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application