રશિયાએ ડઝનબધં ભારતીયોને છેતર્યા છે અને ફરવા ગયેલા યુવાનોને બળજબરીથી સેનામાં ભરતી કર્યા. આ પછી તેને યુક્રેન સામે યુદ્ધ લડવાની તાલીમ આપવામાં આવી. આ દાવો પંજાબના હોશિયારપુરના રહેવાસી એવા ૭ લોકોએ એક વીડિયો જાહેર કરીને કર્યેા છે. રશિયામાં ફસાયેલા આ ભારતીયોએ વિદેશ મંત્રી એસ. જયશંકરને ભારત પાછા ફરવામાં મદદ કરવા અપીલ કરી છે. તેનું કહેવું છે કે તેને ગમે ત્યારે યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મોકલી શકાય છે.
તાજેતરમાં ૧૦૫ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં ૭ લોકો ખરાબ મમાં ઉભા છે. તેમાંથી ગગનદીપ સિંહ નામનો વ્યકિત સમગ્ર મામલો જણાવી રહ્યો છે. બાકીના ૬ ખૂણામાં છુપાયેલા છે. ગગનદીપ જણાવે છે કે તે નવા વર્ષમાં રશિયા ફરવા આવ્યો હતો. એક એજન્ટ તેને ઘણી જગ્યાએ લઈ ગયો. આ પછી એજન્ટે કહ્યું કે તે તેને બેલાસ લઈ જશે. તે લોકોને ખબર ન હતી કે બેલાસ જવા માટે વિઝા જરી છે. આ પછી એજન્ટે પૈસા માંગવાનું શ કયુ. દરેક વ્યકિતએ તેમની પાસે જે પણ પૈસા હતા તે એજન્ટને આપ્યા. આ પછી, યારે બાકીના પૈસા ચૂકવવામાં આવ્યા ન હતા, ત્યારે એજન્ટે તે ભારતીયોને હાઇવે પર છોડી દીધા હતા, યાં તેઓને પોલીસે પકડી લીધા હતા અને રશિયન આર્મીને સોંપી દીધા હતા. રશિયન સેનાએ ધમકી આપી હતી કે દરેક વ્યકિતએ કામ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ, નહીં તો તેમને ૧૦ વર્ષની જેલની સજા કરવામાં આવશે. આ પછી આર્મીએ બધાને સહી કરાવી અને ટ્રેનિંગ શરૂ કરી. ત્યારે જ ભારતીયોને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. ગગનદીપ કહે છે કે તેને બંદૂકનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ આવડતું નથી. યુક્રેન સામે યુદ્ધ લડવા માટે રશિયા તેમને ગમે ત્યારે તૈનાત કરી શકે છે. એટલું જ નહી અહી ઘણા ભારતીયોને યુદ્ધમાં મોકલવામાં આવ્યા છે
રશિયાએ તેલંગાણા અને કર્ણાટકના લોકોને પણ યુધ્ધમાં મોકલ્યા હતા
ચાર ભારતીયોને રશિયા–યુક્રેન સરહદ પર રશિયન સૈનિકો સાથે લડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક તેલંગાણા અને ત્રણ કર્ણાટકના છે. રશિયન કંપનીઓએ આ ભારતીયોને હેલ્પર તરીકે કામ કરવા માટે રાખ્યા હતા. આ પછી, તેને રશિયાની ખાનગી સૈન્ય કહેવાતા વેગનર જૂથમાં ભરતી કરવામાં આવ્યો અને યુદ્ધના મેદાનમાં છોડી દીધો. કેટલાક એજન્ટોએ ડિસેમ્બર ૨૦૨૩માં ભારતીયોને નોકરીના નામે છેતરપિંડી કરીને રશિયા મોકલ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech