શાહિદ-મીરાંએ મુંબઇમાં ખરીદ્યો 59 કરોડનો આલીશાન એપાર્ટમેન્ટ
વર્લી વિસ્તારમાં આવેલો આ લકઝુરિયસ ફ્લેટ 5395 સ્ક્વેર ફૂટમાં બનેલો છે શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂરે મુંબઈના વર્લી વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ લીધો છે, જે ઘણો મોંઘો છે, જેની કિંમત જાણીને નવાઈ લાગશે. આ સ્ટાર કપલે આ મોંઘો ફ્લેટ 59 કરોડમાં લીધો છે.શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂત પ્રોપર્ટીમાં ઘણું ઇન્વેસ્ટ કરતા રહે છે. ત્યારે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે બંનેએ હવે મુંબઈમાં નવો લકઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે અને આ એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. અહેવાલો અનુસાર, આ એપાર્ટમેન્ટ મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલો છે જે 5395 સ્ક્વેર ફૂટમાં બનેલો છે. શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂતનો એપાર્ટમેન્ટ સૌથી ટોપ ફ્લોરમાંથી એક છે. આ એપાર્ટમેન્ટ ઓબેરોય 360 વેસ્ટ પ્રોજેક્ટનો ભાગ છે
હવે સવાલ એ થાય છે કે શાહિદ કપૂરે કેટલા કરોડમાં આ ઘર લીધું છે. અહેવાલો અનુસાર, બંને પતિ-પત્નીએ આ ઘર 59 કરોડમાં ખરીદ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ બિલ્ડિંગનાં 28 એપાર્ટમેન્ટ ડી માર્ટનાં માલિક રાધાકૃષ્ણન દમાણીના પરિવારના અને નજીકના જાણીતાઓના છે. અહીં ડુપ્લેક્ષ એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસની સાથે 5 BHK અને 4 BHK ફ્લેટ્સ પણ છે. બિલ્ડિંગની ઊંચાઈ 360 મીટર છે, અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાહિદે 1.75 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે.
ક્યારે થશે શિફ્ટ
જોકે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે શાહિદ કપૂર પરિવાર સાથે ક્યારે આ નવા ઘરમાં શિફ્ટ થશે. પરંતુ બની શકે કે તે જલ્દી જ ત્યાં શિફ્ટ થઈ જશે, કારણ કે આટલો લક્ઝરી અને મોંઘો એપાર્ટમેન્ટ લીધો છે તો ત્યાં રહેવા માટે તે પણ ઉત્સાહિત હશે.
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો છેલ્લે શાહિદ કપૂર તેરી બાતોં મેં એસા ઉલઝા જિયામાં કૃતિ સેનન સાથે જોવા મળ્યા હતા. ફિલ્મને કોઈ ખાસ રિસ્પોન્સ નથી મળ્યો. હવે શાહિદ કપૂર હવે ફિલ્મ દેવા અને ફર્જી 2માં જોવા મળશે. દેવામાં શાહિદ કપૂર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવવાના છે, જેમાં પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફર્જીની પહેલી સિઝનના ખૂબ જ વખાણ થયા હતા તો હવે દર્શકો તેમની આગામી ફિલ્મ ફર્જી 2 માટે ઘણા ઉત્સાહિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech