આ ભાષણ દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ભાજપ અને શિવસેના પર નિશાન સાધવામાં આવ્યું હતું પરંતુ ભાજપ રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ તેને બાલિશ કૃત્ય ગણાવ્યું.
આ ભાષણ નાસિક રેલીમાં આપવામાં આવ્યું હતું. આ 13 મિનિટના ભાષણની શરૂઆત બાલ ઠાકરેની પરિચિત શૈલી ‘મારા હિન્દુ ભાઈઓ, બહેનો અને માતાઓ’ ના ઉદ્ઘોષ સાથે થઈ હતી. શિવસેના (યુબીટી) ના મતે, આ ભાષણ દ્વારા શિવસેનાએ બતાવ્યું કે જો બાલ ઠાકરે જીવતા હોત તો તેમણે આ શૈલીમાં ભાષણ આપ્યું હોત. જોકે, આ સમય દરમિયાન બાલા સાહેબ ઠાકરેનો અવાજ સાંભળીને શિવસૈનિકો સ્તબ્ધ થઈ ગયા.
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ તેને બાલિશ કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે આજે બાલા સાહેબના અવાજનો ઉપયોગ એ જ વિચારધારા સાથે ઉભા રહેવા માટે થઈ રહ્યો છે જેની સામે તેમણે પોતાનું આખું જીવન લડ્યું હતું. તેમણે કહ્યું કે જો બાલા સાહેબ આજે જીવતા હોત તો તેમણે આવા લોકોને લાત મારી હોત.
બાવનકુલેએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે કોઈ તમારો અવાજ સાંભળતું નથી, તેથી ઉદ્ધવ જૂથ જેવા પક્ષો જ બાલાસાહેબ ઠાકરેના અવાજમાં પોતાના વિચારો વ્યક્ત કરવાનું આ બાલિશ કૃત્ય કરી શકે છે. તેમણે કહ્યું કે ઓછામાં ઓછું તેમનો અવાજ એ બાબતો સામે ન વાપરવો જોઈએ જેના માટે બાલા સાહેબે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. ઓછામાં ઓછું તેમના મૃત્યુ પછી તેમના અવાજનો આ રીતે દુરુપયોગ ન કરો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech