હરિયાણાના અંબાલામાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. એક રિટાયર્ડ આર્મી સુબેદારે કથિત રીતે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે રાત્રે બની હતી. મૃતકોની ઓળખ 65 વર્ષીય માતા સરોપી દેવી, 35 વર્ષીય ભાઈ હરીશ કુમાર, હરીશની પત્ની સોનિયા (32 વર્ષ), પુત્રી યાશિકા (5 વર્ષ) અને 6 મહિનાના પુત્ર મયંક તરીકે થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું કે આરોપીનું નામ ભૂષણ કુમાર છે. તે રાત્રે તેણે સૌથી પહેલા તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ પછી તેણે એક પછી એક આખા પરિવારની હત્યા કરી નાખી. તેણે મૃતદેહોને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ભૂષણે તેના પિતા અને ભાઈ હરીશની મોટી પુત્રી પર પણ હુમલો કર્યો હતો. તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે બંને ભાઈઓ વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. નારાયણગઢના રતૌરમાં એક જમીન હતી જેના પર બંનેનો દાવો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આરોપી ભૂષણ કુમાર હાલ ફરાર છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech