સર્વ પિતૃ મોક્ષાર્થે જામનગર ના ગાંધીનગર ,મોમાઈ નગર શેરી નંબર ૨ વિસ્તાર માં સર્વે ભાઈઓ તથા બહેનો દ્વારા તારીખ ૨૫ થી ૩૧ જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિસ્તારના સર્વ મહિલા મંડળના ભાઈ બહેનો ના સહયોગ થી આયોજિત આ ભાગવત સપ્તાહ નો તારીખ ૨૫ ના બપોરે ત્રણ વાગ્યે પ્રારંભ થશે. કથાના સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન તારીખ ૨૬ ના શ્રી કપિલ જન્મ પ્રાગટ્ય , તા.૨૭ ના શ્રી વામન જન્મ પ્રાગટ્ય ,તા.૨૮ ના શ્રી રામ જન્મ પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મ પ્રાગટ્ય , તારીખ ૨૯ ના શ્રી ગોવર્ધન લીલા મહોત્સવ ,તા.૩૦ ના શ્રીકૃષ્ણ રુકમણીજી ના વિવાહ કથા , તા.૩૧ ના સુદામાચરિત્ર અને પરિક્ષિત મોક્ષ ની કથા પછી કથા વિરામ લેશે.
આ કથામા વ્યાસપીઠ ઉપર થી સાધુ તેજસ બાપુ નિમાવત ( બલદાણા વાળા ) કથાનું રસપાન કરાવશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમીઓને જય નિમંત્રણ પઠવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech