જમીને દુકાનમાંથી સામાન આપવાનું કહેતા આરોપી વિફર્યો
જામનગરના હાલાર હાઉસની પાછળ સ્વામીનારાયણનગરમાં દુકાનદાર વૃઘ્ધને કપાળના ભાગે પથ્થર ઝીંકીને ઇજા કયર્નિી એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના સ્વામીનારાયણ નગર ગ્રીનસીટી ખાતે રહેતા દિવ્યકાંતભાઇ રામજીભાઇ જેઠવા (ઉ.વ.66) નામના વૃઘ્ધ ગઇકાલે બપોરે અહીં આવેલી તેમની દુકાન બંધ કરીને ઘરે જમતા હતા એ દરમ્યાન આરોપી પ્રવિણ ત્યાં આવીને દરવાજો ખખડાવ્યો હતો આથી ફરીયાદીના પુત્ર બકુલે આરોપીને કહેલ કે મારા પિતા જમવા બેઠા છે જમીને તમને દુકાનમાંથી સામાન આપશે.
તેમ કહેતા પ્રવિણ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને બકુલને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો, આથી વૃઘ્ધએ અપશબ્દો બોલવાની ના પાડતા પ્રવિણે શેરીમાં પડેલા પથ્થર વડે ફરીયાદીને કપાળના ભાગે ઘા મારી ઇજા પહોચાડી નાશી ગયો હતો. દિવ્યકાંતભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં ઇન્દીરા સોસાયટીમાં રહેતા પ્રવિણ ચાવડા નામના શખ્સ સામે ફરીયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech