સુપ્રીમ કોર્ટે સંભલમાં જામા મસ્જિદ પાસેના કૂવામાં પૂજા કરવાની મંજૂરી આપતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ ઉપરાંત, યુપી સરકારને નોટિસ જારી કરવામાં આવી છે અને બે અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
નગરપાલિકાએ આને જાહેર કૂવો જાહેર કર્યો હતો. મસ્જિદ સમિતિ 9 જાન્યુઆરીએ આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. શુક્રવારે, મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે મસ્જિદ સમિતિની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 21 ફેબ્રુઆરીએ થશે.
એવું કહેવાય છે કે, પહેલા નજીકમાં રહેતા હિન્દુ સમુદાયના લોકો લગ્ન સમયે અહીં કૂવાની પૂજા કરવા આવતા હતા. હાલમાં વહીવટી તંત્ર સંભલમાં વિવિધ સ્થળોએ ખોદકામ કરી રહ્યું છે. દરમિયાન, નગરપાલિકાએ આ કૂવાને જાહેર જાહેર કર્યો, ત્યારબાદ મુસ્લિમ પક્ષને ડર હતો કે, આ કૂવો પણ ખોદવામાં આવી શકે છે.
જામા મસ્જિદનો સર્વે ૧૯ નવેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો
હિન્દુ પક્ષનો દાવો છે કે જામા મસ્જિદ પહેલા હરિહર મંદિર હતું. જેને ૧૫૨૯માં બાબર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને તેને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. આ અંગે ૧૯ નવેમ્બર ૨૦૨૪ના રોજ સંભલ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તે જ દિવસે સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્યસિંહે મસ્જિદની અંદર સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રમેશસિંહ રાઘવને એડવોકેટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. તે જ દિવસે સાંજે ચાર વાગ્યે ટીમ સર્વે માટે મસ્જિદ પહોંચી હતી. ૨ કલાકનો સર્વે કર્યો હતો. જો કે, તે દિવસે સર્વે પૂર્ણ થયો ન હતો.
પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો
આ પછી, સર્વે ટીમ 24 નવેમ્બરના રોજ જામા મસ્જિદ પહોંચી હતી. બપોરે મસ્જિદની અંદર સર્વે ચાલી રહ્યો હતો. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી હિંસા ફાટી નીકળી. આમાં, ગોળી વાગવાથી 4 લોકોના મોત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech