સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની કામગીરીની ટીકા કરી અને તેને નિરાશાજનક ગણાવી છે. ખાનગી બિલ્ડરો સંબંધિત અરજીની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બેન્ચને વરિષ્ઠ વકીલ કે. પરમેશ્વરે જણાવ્યું હતું કે, રેરા કાયદો તેના અમલીકરણમાં લગભગ નિષ્ફળ ગયો છે.
તેમણે રિયલ એસ્ટેટ ક્ષેત્રને અસર કરતી ડોમિનો અસર તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે, જો બિલ્ડરનો એક પ્રોજેક્ટ નિષ્ફળ જાય છે તો તેના અન્ય પ્રોજેક્ટ પણ નિષ્ફળ જાય છે. કોર્ટ નિષ્ફળ પ્રોજેક્ટ સંબંધિત કેસોનો નિર્ણય કરી શકતી નથી. મહિરા હોમ્સ વેલ્ફેર એસોસિએશન સંબંધિત કેસમાં હાજર રહેલા પરમેશ્વરને કહ્યું કે, જો પ્રોજેક્ટ નિષ્ફળ જાય છે તો તે વિવિધ હિસ્સેદારોને અસર કરે છે.
તેમણે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નિયમનકારી તંત્રને મજબૂત બનાવવા માટે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાન્ત પરમેશ્વરની દલીલો સાથે સંમત થયા હતા કે, રેરા હેઠળ નિયમનકારી સત્તામંડળની કામગીરી નિરાશાજનક હતી. પરંતુ કહ્યું કે, રાજ્ય નવા નિયમનકારી પગલાનો વિરોધ કરી શકે છે. રિયલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) અધિનિયમ, 2016 સંસદ દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રને નિયંત્રિત કરવા અને હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરનારા ઘર ખરીદનારાઓના નાણાંનું રક્ષણ કરવા માટે ઘડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech