દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત યુનિવર્સિટી (GU) માનહાનિ કેસમાં ચાલી રહેલા કેસને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. દિલ્હીના પૂર્વ સીએમને નીચલી કોર્ટમાં હાજર થઈને કેસનો સામનો કરવો પડશે.
આપ નેતા સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલે PM નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. યુનિવર્સિટીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસને રદ કરવાની સંજય સિંહની અરજીને સુપ્રીમ કોર્ટે આ વર્ષે 8 એપ્રિલે ફગાવી દીધી હતી. હવે અરવિંદ કેજરીવાલની અરજી પર પણ આ જ આદેશ આપવામાં આવ્યો છે.
માનહાનિના કેસમાં અરવિંદ કેજરીવાલે શું દલીલ કરી?
ગુજરાત હાઈકોર્ટે અગાઉ અરવિંદ કેજરીવાલ સામે નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રારને તેમના નિવેદનના સીધા પીડિત ગણી શકાય નહીં. જોકે જસ્ટિસ હૃષિકેશ રાય અને એસવીએન ભાટીની બેન્ચે આ દલીલ સ્વીકારી ન હતી.
સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ખેદ વ્યક્ત કર્યો અને કેસ સમાપ્ત કરવાની ઓફર કરી પરંતુ ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું કે કોઈની સામે વાહિયાત આરોપ લગાવ્યા પછી કોર્ટમાં માફી માંગવાની કેજરીવાલની જૂની આદત છે. આ રીતે તે પોતાની જાતને બચાવી રહ્યા છે. આ વખતે તેને મંજૂરી આપવી જોઈએ નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech