ઓછા મતદાનથી રાજકીય પક્ષોને લો–બીપી

  • May 08, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે રાયની લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપર્ક થઈ છે પરંતુ હવે ઉમેદવારોના હાર જીતને લઈને પાનના ગલ્લ ા થી લઈને પાર્લામેન્ટ સુધી હાર જીતની ચર્ચાઓ થશે જેમાં ભાજપ અંડર કરંટનો થશે શિકાર કે હેટિ્રક મારશે રાજકીય અટકળો વેગ પકડ રહી છે.છેલ્લ ા દોઢ મહિનાથી રાયમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલ બાદ કોણ જીતશે અને કોણ હારશે તેની ગણતરી રાજકીય પંડિતો દ્રારા શ કરી દેવાય છે લોકસભાની ૨૬માંથી ૨૬ બેઠક જીતવાની હેટિ્રક કરવા ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે તો અમુક બેઠક જીતીને કોંગ્રેસ ગુજરાતના ભાજપના ગઢમા પ્રવેશ મેળવશે તેવા દાવા થઈ રહ્યા છે પરંતુ સાચી ખબર તા.૪ જૂનના રોજ મતગણતરીના દિવસે આવી જશે.

ચૂંટણી પચં અને રાજકીય પક્ષોની વારંવાર અપીલ છતાં ૪૦ ટકાથી વધુ મતદારો મતદાન કરવા ગયા નથી તે સત્ય હકીકત છે આ વખતે અમદાવાદ વડોદરા, રાજકોટ ના શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારી સામે બનાસકાંઠા છોટાઉદેપુરમાં મતદાન વધારે નોંધાયું છે મતગણતરી આડે હવે એકાદ મહિનાનો સમય બાકી છે ત્યાં આગામી દિવસોમાં હવે કોણની ચર્ચા જોર પકડશે.

મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે રાયની ૨૫ લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું હતું લોકસભાના ૨૬૫ અને વિધાનસભાના ૨૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે તે આગામી ચોથી જુનના રોજ રાયમાં મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે મતદારોના મિજાજની ખરી ખબર પડશે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.૨૦૨૪મા સરેરાશ ૫૯.૫% મતદાનનોધાયુ છે.જે રાયમાં ૨૦૧૯ની સરખામણીએ ૫% મતદાન ઓછું થયું છે એટલે કે રાયના ૪૦% થી વધુ મતદારો મતદાન કરવાથી દૂર રહ્યા છે ચૂંટણી પચં અને રાજકીય પક્ષો દ્રારા વારંવાર કરવામાં આવેલી મતદાનની અપીલ સફળ થઇ નથી

રાયમાં ચૂંટણીની કામગીરી સાથે રોકાયેલા કર્મચારીઓના ફરજ દરમિયાન મૃત્યુ થયાના સમાચાર આવ્યા છે જેમાં ત્રણ કર્મચારીઓ અકાળે મોતને ભેટા છે જેમાં છોટાઉદેપુરના પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે યારે જાફરાબાદની સાગર–શાળામાં ચૂંટણીની કામગીરી પરત દરમિયાન અચાનક ઢળી પડતા મહિલા કર્મચારીનું અવસાન થયું છે તો રાજુલાના અન્ય એક કર્મચારીને ગંભીર અકસ્માત થતા હતી જેનો ઘટના સ્થળે અવસાન થયું હતું

છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીની ટકાવારી
૧૯૯૯  ૪૭.૦૩
૨૦૦૪  ૪૫.૧૬
૨૦૦૯  ૪૭.૮૯
૨૦૧૪  ૬૩.૬૬
૨૦૧૯  ૬૪.૫૧
૨૦૨૪  ૫૯.૫

પાંચ બેઠકની પેટા ચૂંટણી
બેઠક        ૨૦૨૨       ૨૦૨૪
વિજાપુર  ૭૦.૮૯     ૬૪.૦૪
પોરબંદર ૬૨.૪૮     ૫૭.૯૯
માણાવદર ૬૧.૭૭   ૫૩.૯૩
ખંભાત    ૬૭.૯૭     ૬૬.૨૮
વાઘોડીયા ૯૪.૦૮  ૭૦.૨

મતદાનનો બહિષ્કાર
માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કાર કર્યેા હતો. દક્ષિણ ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થઈ હોવાથી ચૂંટણી યોજાઈ નહીં. અને ૧૬.૩૭ લાખ મતદાતાઓ મતદાનથી વંચિત રહ્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application