તમિલનાડુ બસપાના પ્રમુખ કે. આર્મસ્ટ્રોંગની હત્યા, છ હુમલાખોરોએ કુહાડી વડે કરી હત્યા
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં શુક્રવારે (5 જુલાઈ) સાંજે બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી. ત્રણ બાઇક પર સવાર થયેલા હત્યારાઓએ આર્મસ્ટ્રોંગ પર છરી વડે હુમલો કર્યો હતો અને ગુનો કર્યા બાદ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ હત્યા બાદ સક્રિય બનેલી ચેન્નઈ પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનું આર્કોટ સુરેશ ગેંગ સાથે કનેક્શન હોવાનું કહેવાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસપીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યામાં પ્રારંભિક તપાસમાં કેટલાક તથ્યો સામે આવ્યા છે. આ હત્યા જૂની અદાવત અને બદલાની ભાવનાથી લાગી રહી છે. ગયા વર્ષે ચેન્નાઈમાં આર્કોટ સુરેશ નામના હિસ્ટ્રીશીટરની હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગની હત્યાના સંબંધમાં અત્યાર સુધીમાં પકડાયેલા 8 આરોપીઓ આર્કોટ સુરેશના સંબંધીઓ છે અથવા તો ગેંગના સભ્યો છે. તેમાંથી એક પોન્નાઈ બાલા જે હાલમાં કસ્ટડીમાં છે, તે આર્કોટ સુરેશનો ભાઈ છે.
પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
ચેન્નાઈ નોર્થના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ આસરા ગર્ગે એજન્સીને જણાવ્યું કે તપાસ માટે દસ ટીમો બનાવવામાં આવી છે. ગુનેગારોને પ્રકાશમાં લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછ બાદ હત્યા પાછળનું કારણ જાણી શકાશે. હત્યામાં તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ધરપકડ કરાયેલા આ 8 આરોપીઓ છે
1. પોન્નાઈ બાલા
2. રામુ
3. તિરુવેંગડમ
4. તિરુમલાઈ
5. સેલ્વરાજ
6. મણિવન્નન
7. સંતોષ
8. અરુલ
આર્મસ્ટ્રોંગ એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 5 જૂને સાંજે 7 વાગ્યે બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રદેશ અધ્યક્ષની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. 47 વર્ષીય આર્મસ્ટ્રોંગ પેરામ્બુર વિસ્તારમાં પોતાના નવા બનેલા ઘર પાસે એક મિત્ર સાથે વાત કરી રહ્યા હતા. દરમિયાન સાંજે લગભગ 7 વાગ્યે હથિયારોથી સજ્જ ત્રણ બાઇક પર સવાર બદમાશોએ આર્મસ્ટ્રોંગ પર હુમલો કર્યો.
ગુનાના સ્થળે છરી પડેલી મળી
જ્યાં આર્મસ્ટ્રોંગની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી એક મોટી છરી મળી આવી હતી. આર્મસ્ટ્રોંગને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તપાસમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 6માંથી 4 લોકોએ ફૂડ ડિલિવરી કંપનીના ટી-શર્ટ પહેર્યા હતા.
સ્ટાલિન સામે ચૂંટણી લડી
વ્યવસાયે વકીલ આર્મસ્ટ્રોંગે 2006ની સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં શહેરના એક વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીને આમંત્રણ આપ્યું અને ચેન્નાઈના અમીનજીકરાઈમાં પુલ્લા રેડ્ડી એવન્યુ ખાતે વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન કર્યું. 2011માં આર્મસ્ટ્રોંગ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને કોલાથુર મતવિસ્તારમાં ડીએમકેના એમકે સ્ટાલિન સામે હારી ગયા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્રી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech