ભાવનગરના તળાજા પોલીસ મથક ખાતે એસટીના કર્મચારીએ શખ્સ સામે અરજી કરી હતી. જેમાં કૃષ્ણનગર થી મહુવા જતી એસટી બસમાં એક શખ્સ પીધેલી હાલતે એસટીના કર્મચારીને દારૂના નશામાં ગાળો આપતા બસ પોલીસ મથક પહોંચી હતી. અને તળાજા પોલીસમાં શખ્સ સામે અરજી આપવામાં આવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગત મોડી સાંજે કૃષ્ણનગર થી ભાવનગર તળાજા થઈને મહુવા જતી એસટી બસમાં બેઠેલ એક મુસાફર શખ્સએ નશાની હાલતે માથાકૂટ કરી હતી. બસમાં દારૂના નશામાં બેસેલા પેસેન્જરએ અન્ય મુસાફરો અને એસટીના કર્મચારી સાથે ગેરવર્તન કરી અને બીભત્સ ગાળો આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. શખ્સ દ્વારા નશાની હાલતે બબાલ કરતા એસટી બસ સીધી પોલીસ મથક ખાતે પહોંચી હતી. સમગ્ર મામલો તળાજા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. અને નશાખોર શખ્સ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી. અને ત્યારબાદ પોલીસે અરજીના આધારે ગંભીરતાથી નોંધ લઈ અને તાત્કાલિકના ધોરણે શખ્સની અટકાયત કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech