અત્યાર સુધીનો સૌથી મોટો મહાકુંભ પ્રયાગરાજમાં ૭,૫૦૦ કરોડ પિયાના અંદાજિત ખર્ચ અને ૪૦ કરોડ ભકતોના આગમન સાથે આયોજિત થવા જઈ રહ્યો છે. કરોડો ભકતો યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભમાં શ્રદ્ધાથી ડૂબકી મારવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન યુપી સરકારેતમામ ભાવિકોની સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. સરકારે આ કુંભમાં એટલા પૈસા ખચ્ર્યા કે તેનો અંદાજ લગાવવો દરેકના નિયંત્રણની બહાર છે. આ કુંભના આયોજનનો અંદાજિત ખર્ચ ૭,૫૦૦ કરોડ પિયા છે અને ૪૦ કરોડ ભકતોની ભીડ ઉમટી પડે તેવી અપેક્ષા છે, બીજી તરફ ગત સદીના મહાકુંભના ખર્ચ પર નજર કરીએ તો, તફાવત ચોંકાવનારો છે.
એક અહેવાલ અનુસાર, ૧૮૮૨ના મહાકુંભમાં, મૌની અમાવસ્યાના દિવસે લગભગ ૮ લાખ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા આવ્યા હતા, યારે ભારતની કુલ વસ્તી ૨૨.૫ કરોડ હતી. તે સમયે, કુંભના આયોજન પર માત્ર ૨૦૨૮૮ પિયાનો ખર્ચ થયો હતો, જે આજના અંદાજ મુજબ લગભગ ૩.૬ કરોડ પિયા છે. આ પછી ૧૮૯૪ના મહાકુંભમાં ૧૦ લાખ ભકતો પહોંચ્યા અને ખર્ચ વધીને . ૬૯,૪૨૭ (અંદાજે . ૧૦.૫ કરોડ) થયો. રિપોર્ટ અનુસાર, ૧૯૦૬ના કુંભમાં લગભગ ૨૫ લાખ લોકોએ હાજરી આપી હતી અને તેનો ખર્ચ . ૯૦,૦૦૦ (આજે . ૧૩.૫ કરોડ) હતો. ૧૯૧૮માં યોજાયેલા કુંભમાં ૩૦ લાખ ભકતોએ સંગમમાં સ્નાન કયુ હતું અને વહીવટીતંત્રે આ કાર્યક્રમ માટે . ૧.૪ લાખ (આજની શરતોમાં . ૧૬.૪ કરોડ) ફાળવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech