મધ્યમ વર્ગને વ્યક્તિગત આવકવેરા અને કસ્ટમ્સ ટેરિફમાં નોંધપાત્ર રાહત આપ્યા પછી, કેન્દ્ર સરકાર માલ અને સેવા કર (જીએસટી) માળખાને સુધારવા તૈયારી કરી રહી છે જેથી તેનો અમલ અને પાલન સરળ બને. તેમ આધિકારિક સુત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર વધુ સારી રીતે અમલીકરણ અને પાલન માટે સ્લેબમાં સુધારો કરીને જીએસટી માળખાને સરળ બનાવવાની યોજના ધરાવે છે. વર્તમાન ચાર-સ્લેબ માળખાને તર્કસંગત બનાવવા અને ચોક્કસ ઉત્પાદનો માટે બેવડા દરો દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલના ગ્રુપ ઓફ મીનીસ્ટરે હજુ સુધી પ્રસ્તાવિત ફેરફારો પર પોતાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો નથી. વિવિધ રાજ્યો અને ઉદ્યોગો વિવિધ વસ્તુઓ માટે જીએસટી કર દરમાં ઘટાડાને સમર્થન આપે છે જેને કાઉન્સિલની બેઠકોમાં ચચર્મિાં લેવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમના મંત્રીઓનું પેનલ શાસન હેઠળ ચાર સ્લેબ કર જીએસટી દરોની સંપૂર્ણ પુન:રચના અંગે ચચર્િ કરે તેવી શક્યતા છે.નીચા દરો વર્તમાન 5% અને 12% થી વધારીને 6% અને 13% કરી શકાય છે અને તેણે સૂત્રોને એ પણ જણાવ્યું હતું કે જીએસટી દરોને આખરે ઓછા સ્લેબમાં મર્જ કરવામાં આવશે. જીએસટી દરમાં વધારાની વિગતો આગામી સમયમાં સ્પષ્ટ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech