બેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું

  • May 06, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરની સૌથી મોટી હાઉસિંગ વસાહત ગણાતા ભરતનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની જગ્યા પર અંદાજે ૨૦થી ૨૫વર્ષ પૂર્વે બનાવી લેવાયેલી ગેરકાયદેસર મસ્જિદના બાંધકામ તોડી પાડવા અંગે કોર્ટના હુકમથી આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના એસ્ટેટ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને મહાપાલિકાના એસ્ટેટ વિભાગ, દબાણ હટાવ સેલની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી ગેરકાયદેસર બનાવાયેલી મસ્જિદના બાંધકામ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર અને પોલીસ કાફલાની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી શરૂ થતા જ સ્થળ પર લોકોના ટોળાં ઉમટ્યા હતા. ભરતનગર, મેમણકોલોનીમાં અંદાજે ૨૦થી પણ વધુ વર્ષ પૂર્વે હાઉસિંગ બોર્ડની માલિકીની આશરે ૫૦૦ચો. ફિટ જગ્યા પર બનાવી લેવાયેલ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કોર્ટ દ્વારા થયેલા આદેશના પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડના એસ્ટેટ વિભાગના મેનેજર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ  વીજ કંપનીના સ્ટાફને સાથે રાખી બન્ને મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે કાર્યવાહી હાથ  ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાતા સ્થળ પર લોકોના ટોળાં ઉમટ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application