પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તારમાં વસતા પરમહંસોને સ્નાન કરાવી બાલ દાઢી કરી ભરપેટ ભોજન અપાયું હતુ. પોરબંદરના સમય ગ્રુપ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વસતા પરમહંસોને બાલ દાઢી કરાવી,સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવી એટીકેટ તૈયાર કરી ભરપેટ ભોજન આપીને તેમના જઠરાગ્નિ ઠારીને આશીર્વાદ મેળવ્યા હતા. ગ્રુપ યુવાનો દ્વારા પરમહંસોને બાલ દાઢી કરી અને સ્નાન કરાવી નવા કપડા પહેરાવી અને તેમને ગરમા-ગરમ રોટલા, ઓરો મસ્ત ભોજન પણ કરવામાં આવ્યુ હતુ,તેથી યુવાનોની આ પ્રવૃત્તિને સહુ કોઈએ બિરદાવી રહ્યા છે.
ત્યારે હાલમાં શ્રાવણ માસ દરમિયાન પોરબંદરમાં સમય ગ્રુપ યુવાનો દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે,ત્યારે તહેવારો દરમિયાન ફુટપાથ પર રહેતા પરમહંસો માટે થઈને આ યુવાનો દ્વારા વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી જેમાં તેઓને બાલ દાઢી કરી,સ્નાન કરાવ્યા બાદ નવા કપડાં પહેરાવીને એટીકેટ તૈયાર કરવામાં આવ્યા હતા એટલું જ નહી,પરંતુ તેમને ભાવતા ભોજનીયા પણ ગરમા ગરમ જમાડ્યા હતા.
પોરબંદર શહેરમાં પરમહંસોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને નવડાવી ધોવડાવી ભોજન કરાવી નવા કપડા પહેરાવીને પછી ફરી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મુકી આવવાનું કામ પણ ગ્રુપના સેવાભાવી યુવાનોએ કર્યું હતું. ઉલેખનીય છે કે,ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે,બારેમાસ સેવાની પ્રવૃત્તિ ધમધમે છે,ત્યારે તેમની આ સેવા પ્રવૃત્તિને પોરબંદરવાસીઓએ પણ બિરદાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech