તળાજા તાલુકાના માંડવાળી ગામની વાડીમાં રહેતા દંપતિ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નિના માથામાં ઉપરા છાપરી પત્થરના ઘા મારી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યાની ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી.આ બનાવ અંગે મૃતક મહિલાના પિતાએ પોતાના જમાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
ચકચારી ઘટના અંગે મહુવાના કળસાર ગામે રહેતા મગનભાઈ બેચરભાઈ ભાલીયા (ઉ. વ. ૫૦)એ મૂળ ઉંચાકોટડા ગામના અને હાલ પિંગળી ગામના મનુભાઈ બાલાભાઈ રાઠોડની માંડવાળી ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતો શિવા છનાભાઈ વાસિયા સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ આપી જણાવ્યું હતું કે પોતાની મોટી પુત્રી અસ્મિતાબેને શિવા વાસીયા સાથે આઠ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નબાદ એકાદ વર્ષ બાદ બન્ને વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતા રહેતા હતા. જેમાં પોતાની મૃતક પુત્રી અસ્મિતાબેન છએક માસથી સંતાનો સાથે રિસામણે પિયરમાં રહેતી હતી.
દરમ્યાનમાં પાંચ દિવસ પૂર્વે શિવા વાસિયાએ કળસાર ગામે આવી "હવે હું, અસ્મિતા સાથે ઝઘડો નહીં કરૂં" તેમ કહી તેડી ગયો હતો. અને ગત મોડી સાંજે કોઈ બાબતે ફરીથી શિવા વાસિયાને પ્રેયસી-પત્ની અસ્મિતાબેન સાથે થયેલી બોલાચાલીમાં ઉશકેરાઈ ગયેલા શિવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech