ભાવનગર એસઓજી પોલીસ મથકની ટીમે શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો ઝડપી લીધો હતો. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે નારી ગામના તળાવ પાસે વાડીમાં રાખવામાં આવેલા સળિયાના જથ્થા ચિત્રા ખાતે રહેતા શખ્સને ઝડપી લીધો હતો. અને ૨૧,૭૦૦ કિલોગ્રામ લોખંડના સળિયાનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે એસઓજી પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર સ્પેશલ ઓપરેશન ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી. કે નારી ગામ તળાવ નજીક વાડીમાં એક શખ્સ પાસે રહેલો લોખંડના સળિયાનો જથ્થો શંકાસ્પદ રીતે રાખેલો છે. જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા શહેરના ચિત્રા, ભરવાડ શેરી ખાતે રહેતો ભરતભાઈ કાનાભાઈ આલગોતર (ઉ.વ.૩૯)એ નારી ગામે તળાવની પાછળ આવેલ પોતાની વાડીએ બીલ કે આધાર વિના લોખંડના સળિયાનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દોડી જઈ તપાસ કરતા ૨૧,૭૦૦ કિલો જેની કિંમત કિંમત રૂપિયા ૧૦,૮૫,૦૦૦ ના શંકાસ્પદ હાલતમાં સળિયાનો જથ્થો ઝડપી લીધો હતો. અને શખ્સને લોખંડના સળિયાના જથ્થા સાથે અટક કરી વરતેજ પોલીસ મથક ખાતે સોંપી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ
May 09, 2025 11:55 AMભાવનગરમાં પાંચ શખસોએ કરી યુવાનની સરાજાહેર કરપીણ હત્યા
May 09, 2025 11:52 AMહળવદ રણકાંઠા વિસ્તારમાં માવઠાનો હાહાકાર કચ્છના નાના રણમાં મોટું નુકસાન: વળતરની માગ
May 09, 2025 11:47 AMઉપલેટામાં મામલતદાર દ્રારા ખનીજચોરો ઉ૫ર સર્જીકલ સ્ટ્રાઇક
May 09, 2025 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech