આ હુમલો નથી વિશ્ર્વ કલ્યાણ માટે અનુષ્ઠાન છે -મોરારી બાપુ

  • May 10, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નંદપ્રયાગ, ઉત્તરાખંડ ખાતે રામકથામાં  મોરારી બાપુએ ભારત દ્વારા પાકિસ્તાન અને ત્યાં સ્થિત આતંકવાદી ઠેકાણાંઓ પર ચલાવાઈ રહેલ લશ્કરી કાર્યવાહી અંગે કહ્યું હતું  કે આ કાર્ય વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના હેતુથી કરવામાં આવી રહ્યું છે, કોઈ દેશ કે વ્યક્તિ વિરુદ્ધ નહીં.
ઉત્તરાખંડના નંદપ્રયાગમાં ચાલી રહેલી રામકથા દરમિયાન  મોરારીબાપુએ કહ્યું હતું કે  હિન્દુસ્તાન આજકાલ અનુષ્ઠાન કરી રહ્યું છે, વિશ્વ કલ્યાણ માટે. આ કોઈ વ્યક્તિ કે દેશની વિરુદ્ધ નથી, પરંતુ આતંકવાદની વિરુદ્ધ છે. જ્યારે આતંકવાદનો અંત આવશે, ત્યારે વિશ્વ શાંતિનો શ્વાસ લઈ શકશે,આનંદનો શ્વાસ લેશે. બાપુએ આગળ  એમ પણ કહ્યું હતું કે આ કોઈ હુમલો નથી,આ વિશ્વ કલ્યાણ માટેનો એક પ્રયોગ છે. આ બધા જીવોના હિત, સુખ અને પ્રેમ માટે કરવામાં આવ્યું છે સર્વભૂત હિતાય,સર્વભૂત સુખાય,સર્વભૂત પ્રીતાય.  આ કોઈ હુમલો નથી, આ વિશ્વ કલ્યાણ માટેનો એક પ્રયોગ છે. આ બધા જીવોના હિત, સુખ અને પ્રેમ માટે કરવામાં આવ્યું છે સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય, સર્વભૂત તેમ તેમણે કહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News