રાજકોટ મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ મીટીંગ પૂર્વે અગ્નિકાંડના મૃતકો અને પીડિતોના પરિવારજનોને સાથે લઈ આવેલા કોંગી કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇની એ-ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમને એ-ડિવિઝન પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે બંનેને બોર્ડ મિટિંગમાં હાજરી આપવા માટે જવાનું હોય ગણતરીની મિનિટોમાં જ બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા.
દરમિયાન આ મામલે વશરામ સાગઠીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ અગ્નિકાંડના મૃતકો અને પીડિતોના પરિવારોની વેદનાને વાચા આપવા માટે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કયા કારણોસર તેમની અટકાયત કરવામાં આવી તેનો કોઈ ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો નથી. તેમની અટકાયત કરવામાં આવ્યા બાદ તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેની બંધારણીય ફરજ બજાવવા માટે જનરલ બોર્ડ મિટિંગમાં હાજરી આપવા જઈ રહ્યા છે તેવા સમયે તેમની અટકાયત કરી લેવાય છે ત્યારે આ મામલે તેઓ પોલીસ સામે ફરિયાદ દાખલ કરશે તેવી ચીમકી તેમણે આપી હતી ત્યારબાદ પોલીસે બંને કોર્પોરેટરને સભાની કાર્યવાહીમાં હાજરી માટે મુક્ત કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech