જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક આતંકી કૃત્ય કર્યું છે. આતંકીઓએ ૨૨ એપ્રિલના રોજ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરતાં ૨૮ લોકોના મોત થયા છે, જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત સિહોર નગરપાલિકામાં પણ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ચૂંટાયેલા તમામ અધિકારી, પદાઅધિકારી, નગરસેવકો, કર્મચારીઓ, સહિત તમામ લોકોએ ભયાનક આતંકી કૃત્યને વખોડી કાઢી મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ચૂંટાયેલા તમામ નગરસેવકો, કર્મચારીઓએ એક સુરમાં કહ્યું હતું કે આતંકવાદીઓનું હિંસાત્મક રાક્ષસી કૃત્ય અંતરાત્માને હચમચાવી દે તેવું છે. આતંકીઓનું કૃત્ય દર્શાવે છે કે, તેઓ કેવા પ્રકારની ક્રૂરતા અને અમાનવીયતા ઊભી કરે છે. કાશ્મીરમાં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લઈ રહેલા પ્રવાસીઓને હિંસાનો શિકાર બનાવાયા છે, જેની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ.આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને નગરપાલિકા શ્રદ્ધાંજલિ પાઠવે છે. અમે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે, મૃતકોની આત્માને શાંતિ મળે ઈજાગ્રસ્ત વહેલી તકે સ્વસ્થ થાય. આ સંકટ સમયે આખો દેશ પીડિતોની સાથે છે.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
May 06, 2025 05:50 PMઉનાળામાં આ રીતે સ્ટોર કરો મખાના, લાંબા સમય સુધી નહીં બગડે
May 06, 2025 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech