શનિ-રવિ સતત બે દિવસ અનેક સ્થળે અષાઢ જેવા વરસાદથી મગફળી સોયાબીન કપાસ સહિતના પાકને નુકસાન : શનિવારે માળીયાહાટીના, જેતપુર સહિતના વિસ્તારોમાં અઢીથી ત્રણ ઇંચ વરસી ગયો
સામાન્ય રીતે આસો માસમાં ચોમાસાની સમાપ્તિનો મહીનો ગણાય છે ત્યારે છેલ્લા બે દિવસ શની અને રવિવારના વિસાવદર જેતપુર તાલાલા, ગોંડલ, વઢવાણ ભુજ લખતર લોધિકા મહુવા કુતિયાણા સહિતના વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. શનિવારે સૌરાષ્ટ્ર કચ્છના 35 તાલુકામાં અને રવિવારે 46 તાલુકામાં મેઘસવારી આવી પહોંચી હતી. આ બે દિવસના પાછોતરા વરસાદથી મગફળી, સોયાબીન, કપાસ સહિતના ખેતી પાકોને નુકસાની થઈ હોવાની ફરિયાદો ઉઠી છે.
શનિવારે દિવસ દરમિયાન માળીયાહાટીના ત્રણ ઇંચ, જેતપુર ઇંચ, ઉપલેટા, કોટડા સાંગાણી, કુકાવાવ વડીયા, માંગરોળ, રાણાવાવ, જામજોધપુર પંથકમાં પણ ધોધમાર એકથી અઢી ઇંચ સહિત 35 તાલુકામાં વરસાદ પડી જવા પામ્યો છે. ત્યારે આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરના દસાડા ત્રણ ઇંચ વઢવાણ લખતર બેથી અઢી ઇંચ જ્યારે ચોટીલા થાનગઢ મુળી ધાંગધ્રા પંથકમાં ઝાપટા વસ્યા હતા, આ ઉપરાંત જૂનાગઢના વિસાવદર ત્રણ ઇંચ માંગરોળ ઇંચ છે અને માળીયાહાટીના જુનાગઢ કેશોદ પંથકમાં ઝાપટા વરસ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech