કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં આ દિવસોમાં એક ભેંસને લઈને બે ગામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ ભેંસ એક મંદિરને સમર્પિત છે અને સેંકડો ભકતો દ્રારા તેની પૂજા કરવામાં આવે છે. આ અનોખા કિસ્સામાં પોલીસ ભેંસના અસલી માલિકને શોધવા ડીએનએ ટેસ્ટ કરાવવા જઈ રહી છે. આ વિવાદ કુન્નીબેલકેરે અને કુલાગટ્ટે ગામો વચ્ચે છે, જે એકબીજાથી ૪૦ કિમી દૂર છે. હાલમાં, ભેંસ શિવમોગામાં એક ગાયના શેડમાં પોલીસની દેખરેખ હેઠળ છે. જિલ્લામાં ૨૦૨૧માં પણ આવો જ એક કેસ નોંધાયો હતો, યારે ડીએન ટેસ્ટ દ્રારા ભેંસના માલિકની શોધ થઈ હતી.
મામલો શું છે
વાસ્તવમાં, આઠ વર્ષ પહેલા કુનીબેલાકેરે ગામના કરીયમ્મા દેવી મંદિરમાં એક ભેંસ અર્પણ કરવામાં આવી હતી. તાજેતરમાં બાજુના બેલકેરે ગામમાં એક ભેંસ મળી આવી હતી. તે જ સમયે, હોનાલી તાલુકાના કુલગટ્ટે ગામમાંથી એક ભેંસ ગુમ થવાના સમાચાર આવ્યા હતા. કુલગટ્ટેના લોકો ભેંસને તેમના ગામમાં લઈ ગયા અને તેને તેમની હોવાનો દાવો કર્યેા. ગામના મડપ્પા રંગન્નાવરે જણાવ્યું કે તેમની ભેંસ બે મહિનાથી ગુમ હતી. પરંતુ, કુનીબેલાકેરેના ગ્રામજનોએ ભેંસ પર પોતાનો હક જમાવ્યો.
બંને ગામના લોકો વચ્ચે ઉગ્ર ઝઘડો
ભેસના કબ્જા પગલે બંને ગામ વચ્ચે ઝઘડો થયો હતો અને પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. ભેંસની ઉંમર અંગે પણ મતભેદ હતા. કુનીબેલેકેરેના લોકોએ કહ્યું કે ભેંસ આઠ વર્ષની હતી, યારે કુલગટ્ટેના લોકોએ કહ્યું કે તેની ઉંમર ત્રણ વર્ષની છે. તપાસ પછી, પશુચિકિત્સકોએ જણાવ્યું હતું કે ભેંસ છ વર્ષથી વધુ જૂની હતી, જે કુનિબેલેકેરેના દાવાને સમર્થન આપે છે. જોકે, કુલગટ્ટેના ગ્રામજનોએ આનો વિરોધ કર્યેા હતો.
ડીએનએ ટેસ્ટના પરિણામ બાદ સત્ય સામે આવશે
હવે ભેંસનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ કુનીબેલેકેરેના રહેવાસીઓએ કુલગટ્ટેના સાત લોકો સામે ચોરીનો કેસ દાખલ કરીને ડીએનએ ટેસ્ટની માંગ કરી છે. તેમણે પુરાવા તરીકે તેમના ગામમાં ભેંસના વાછરડાની હાજરીનો ઉલ્લેખ કર્યેા. કુનીબેલાકેરેના ડંડાર ટિપ્પેશે કહ્યું કે મામલો દાવણગેરે એસપીના કાર્યાલય સુધી પહોંચ્યો છે. એડિશનલ એસપી વિજયકુમાર સંતોષે પુષ્ટ્રિ આપી હતી કે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે અને ટેસ્ટના પરિણામો આવ્યા બાદ કેસનો ઉકેલ લાવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech