રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ સમાપ્ત નથી થઈ રહ્યો. હાલમાં જ અમેરિકાએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના 8000 સૈનિકો હાલમાં યુક્રેનની સરહદ પાસે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં હાજર છે. આ સૈનિકો યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મદદ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ દરમિયાન ઉત્તર કોરિયાએ યુક્રેન સામેની લડાઈમાં રશિયાને 1000થી વધુ મિસાઈલો આપી છે. આ જાણકારી દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રીએ આપી છે.
દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાને આપી માહિતી
દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન કિમ યોંગ-હ્યુને ગુરુવારે કહ્યું કે ઉત્તર કોરિયાએ યુક્રેનમાં લડવા માટે સૈનિકો ઉપરાંત રશિયાને 1,000 થી વધુ મિસાઇલો મોકલી છે.
રશિયામાં 10000 સૈનિકો હાજર છે
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને હાલમાં જ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હાલમાં રશિયામાં ઉત્તર કોરિયાના 10,000 સૈનિકો હાજર છે. તેમાંથી રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં 8000થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. તેણે આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં રશિયા આ સૈનિકોનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધમાં કરી શકે છે.
ઉત્તર કોરિયાના સૈનિકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે
અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રશિયા ઉત્તર કોરિયાના સૈનિકોને આર્ટિલરી, ડ્રોન અને પાયદળ ઓપરેશનના ઉપયોગની તાલીમ આપી રહ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે આ સૈનિકોનો ઉપયોગ ફ્રન્ટ લાઇન ઓપરેશનમાં કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 100 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે રશિયાએ વિદેશી સૈનિકોને પોતાના દેશમાં આમંત્રણ આપ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના નાયબ રાજદૂતે આપી ચેતવણી
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના નાયબ રાજદૂત રોબર્ટ વૂડે ઉત્તર કોરિયાને ચેતવણી આપી છે. તેમણે કહ્યું, "શું ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઉત્તર કોરિયા)ના સૈનિકોએ રશિયાના સમર્થનમાં યુક્રેનમાં પ્રવેશ કરવો જોઈએ? હું તેમને કહેવા માંગુ છું કે માત્ર તેમના મૃતદેહો તેમના દેશમાં પરત કરવામાં આવશે. તેથી, હું કિમને સલાહ આપીશ કે તેઓ "આવી અવિચારી અને ખતરનાક બાબતોમાં સામેલ થતા પ
હેલા બે વાર વિચારો."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech