શુક્રવારે મજલીસ પણ યોજાશે
ખંભાળિયા નજીક આવેલા કંચનપુર ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સુમરા જમાત દ્વારા આગામી શનિવાર તારીખ 11 ના રોજ હઝરત નાથનશાહ વલી આશહાબા પીરના 23 મા ઉર્ષ મુબારકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કંચનપુર (કરમદી) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારે સાંજે ચાર વાગે ઘોડાની રેસ યોજવામાં આવશે. આ પૂર્વે બપોરે અઢી વાગ્યે કંચનપુર ગામમાંથી દરગાહ શરીફ સુધી સંદલ શરીફ તેમજ ચાર વાગ્યે ચાદર શરીફ બાદ સાંજે પાંચ વાગ્યે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉર્ષ મુબારકની પૂર્વ સંધ્યાએ શુક્રવાર તારીખ 10 ના રોજ રાત્રે ઈસાની નમાઝ બાદ મુકરીરે ખાસ આયોજનમાં સૈયદ હાજી અબ્દુલ કાદિર બાપુ, સૈયદ ફહીમુદીન અખ્તર પેશઇમામ, મૌલાના અહેમદરઝા સાહેબ શાનદાર તકરીર ફરમાવશે.
આયોજનના અંતમાં શનિવારે રાત્રે 10 વાગ્યે મશહૂર કવ્વાલ સાથેના કવ્વાલી મુકાબલાનું પણ આયોજન થયું છે. જેમાં સહભાગી થવા સમસ્ત સુન્ની મુસ્લિમ સુમરા જમાત - કંચનપુર દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાનના રાષ્ટ્ર્રપતિ, વિદેશમંત્રીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
May 20, 2024 12:00 PMદેશભરમાં અગન વર્ષા: યે તો સિર્ફ ઝાંખી હૈ
May 20, 2024 11:54 AMશહેરમાં કેરીના ભાવમાં ઉછાળો: પાક નાશ થવાથી ભાવ ઉચકાયા
May 20, 2024 11:46 AMગાયત્રી પરિવાર દ્વારા આગામી તા. ર3 ના રોજ રાષ્ટ્રીય કલ્યાણ અર્થે ઘેર ઘેર કરાશે યજ્ઞ
May 20, 2024 11:33 AMરાજયમાં વિતરણ વ્યવસ્થા ખોરવાતાં લાખો ગરીબો તુવેરદાળથી વંચિત રહ્યા
May 20, 2024 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech