રાજકોટ મેંદરડા તાલુકાના ખીજડીયા ગામ પાસે બાઈક સ્લીપ થતા સામેથી આવતી કાર સાથે અથડાતા બાઇક સવાર દંપતીને ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં પત્નીને વધુ ઇજા હોવાથી રાજકોટ સિવિલમાં ખસેડાતા મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગત મુજબ તાલાલા તાલુકાના બોરવાવ ગામે રહેતા વનીતાબેન રાજેશભાઈ ગોહેલ (ઉ.વ.૪૭) નામના મહિલા ગઈકાલે સવારે બોરવાવથી પતિની મોટરસાઈકલમાં બેસી મેંદરડાના પપાણીયારી ગામે લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યારે ખીજડીયા ગામ પાસે પહોંચતા બાઈક સ્લીપ થઇ હતી અને સામેથી આવતી કાર સાથે અકસ્માત થતા દંપતિ ઘવાયું હતું.
બંનેને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા જેમાં વનીતાબેનને વધુ ઇજા હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેંદરડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં ઘેરો શોકની લાગણી છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech