સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શહેરોમાં લોકોની જરિયાતો વધી રહી છે, જેના કારણે લોકોમાં લોન લેવાનું ચલણ વધી રહ્યું છે પરંતુ સરકારી સર્વેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકો વધારે પ્રમાણમાં લોન લે છે. ગામડાઓમાં ૧ લાખ લોકો દીઠ ૧૮,૭૧૪ લોકો એવા છે જેમણે કોઈને કોઈ લોન લીધી છે. યારે શહેરોના દેવાદાર લોકોની સંખ્યા ૧૭,૪૪૨ છે, જે ગામડાઓ કરતા થોડી ઓછી છે.
આંકડા મંત્રાલયનો વ્યાપક વાર્ષિક મોડુલર સર્વે રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ૨૦૨૨–૨૩ના નેશનલ સેમ્પલ સર્વેના ડેટાને આધાર બનાવવામાં આવ્યો છે. તેમાં દર્શાવાયું છે કે દેશમાં દર એક લાખ લોકો પર ૧૮,૩૨૨ દેવાદાર છે. આમાં સંસ્થાકીય અને બિન–સંસ્થાકીય માધ્યમો દ્રારા લેવામાં આવેલી લોનનો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે શહેરી વિસ્તારોની સરખામણીએ ગામડાઓમાં લોન લેનારાઓની સંખ્યા વધુ છે. આ વલણ પુષો અને ક્રીઓ બંનેમાં વધુ જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે, એક લાખ ગ્રામીણ પુષોમાંથી ૨૪,૩૨૨એ કોઈને કોઈ લોન લીધી છે. સર્વેની તારીખે તેમના પર લોનની રકમ બાકી હતી. યારે, શહેરી વિસ્તારોમાં ૨૩,૯૭૫ પુષોએ લોન લીધેલી છે.
તેવી જ રીતે, જો ગામડામાં મહિલાઓમાં દર એક લાખ મહિલાઓમાંથી ૧૩,૦૧૬ મહિલાઓ દેવા હેઠળ હતી. યારે શહેરોમાં તે પ્રમાણમાં ઓછું હતું અને ૧૦,૫૮૪ મહિલાઓ દેવાદાર હોવાનું જાણવા મળ્યું હતું.
નિષ્ણાંતોનું માનવું છે કે ગામડાઓમાં પણ શહેરોની લાઈફ ફોલો થઈ રહી છે. ઘરેલું જરિયાતો હોય કે બાળકોનું શિક્ષણ હોય કે ખોરાક હોય કે કપડાં હોય, વસ્તુઓ હવે મોટાભાગે શહેરોની તર્જ પર બની રહી છે. જો જોવામાં આવે તો ગામડાઓમાં આ સ્પર્ધા ઘણી વધારે છે.
આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણને લગતી ઘણી સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે, યારે ગામડાઓમાં આ સેવાઓ માટે પણ ચૂકવણી કરવી પડે છે. પરિણામે આજે ગામડાના લોકોને વધુ લોન લેવી પડે છે. આ સિવાય શહેરોમાં કામ કરતા પરિવારના સભ્યોને કારણે ગામડાના લોકોને લોનની ઉપલબ્ધતા સરળ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech