પાણી આપણા શરીરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. માનવ શરીરમાં 70% પાણીનો ભાગ હોય છે. ડોક્ટર દ્વાર પણ પાણી પિતા રહેવાની સલાહ આપવામાં આવે છે જેનાથી ડિહાઇડ્રેશન જેવી સમસ્યાનો સામનો ન કરવો પડે આપણે સાંભળ્યું હોય છે કે સવારે ઉઠીને પહેલા પાણી પીવું જોઈએ. પણ લોકોના મનમાં ગડમથલ ચાલતી હોય છે કે સવારે બ્રશ કર્યા પછી પાણી પીવાનું કે બ્રશ કર્યા પહેલા?
શું બ્રશ કરતા પહેલા પાણી પીવું યોગ્ય છે? શું તે શરીરને નુકસાન નહી પહોંચાડે? સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સવારે બ્રશ કરતા પહેલા પાણી પીવું જોઈએ. કારણ કે જાગ્યા પછી સૌથી પહેલા પાણી પીવાથી મોંમાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે અને સૂતા પછી શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ મળે છે. તેથી, દાંત સાફ કરતા પહેલા ખાલી પેટ પાણી પીવું ફાયદાકારક છે.
બ્રશ કરતા પહેલા પાણી પીવાના ફાયદા
હાઇડ્રેશન: સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવાથી રાત્રે ઊંઘ પછી તમારા શરીરને રિહાઇડ્રેટ કરવામાં મદદ મળે છે.
બેક્ટેરિયા દૂર કરવા: સવારે કુદરતી રીતે ઉત્પન્ન થતી લાળ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે અને પાણી પીવાથી તેમને બહાર કાઢવામાં પણ મદદ મળે છે.
પાચનમાં સુધારો કરે છે: ખાલી પેટે પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે.
આયુર્વેદિક પ્રથા: ઘણી આયુર્વેદિક પરંપરાઓ સવારે ખાલી પેટે સૌથી પહેલા પાણી પીવાની ભલામણ કરે છે. આયુર્વેદ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે રાત્રે ત્રાંબાના લોટમાં પાણી ભરીને રાખી દેવું અને એ પાણી સવારે ખાલી પેટે પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જાગ્યા પછી તરત જ દાંત સાફ કર્યા વિના પાણી પીવાથી કોઈ નુકસાન નથી થતું. ડોક્ટરો હંમેશા ખાલી પેટે બે ગ્લાસ અથવા ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવાની ભલામણ કરે છે. જ્યારે દરરોજ સવારે ઉઠ્યા પછી પાણી પીઓ છો, ત્યારે શરીરને ઘણા ફાયદા થાય છે. દરરોજ સવારે પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે રોગો અને જંતુઓ સામે વધુ સારી રીતે લડવામાં મદદ કરે છે.
પેટ સાફ કરે છે - સવારે પાણી પીધા પછી આંતરડા સાફ રહે છે અને કબજિયાતની સમસ્યા થતી નથી.
ચયાપચય ઝડપી બનાવે છે- જ્યારે પાણી પીઓ છો, ત્યારે ચયાપચય ઝડપી બને છે. જેના કારણે પાચન અને ચયાપચય દર વધે છે. તે આખો દિવસ હાઇડ્રેટેડ પણ રાખે છે.
માથાનો દુખાવો અને માઈગ્રેન જેવા રોગોમાં, જો બ્રશ કરતા પહેલા પાણી પીઓ તો તે ખૂબ જ ફાયદાકારક છે. તે કોલોન ચેપને રોકવામાં પણ ઘણી મદદ કરે છે. તે આંતરડાને સારી રીતે સાફ કરે છે. દરરોજ સવારે પાણી પીવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે કારણ કે તે પેટને હાઇડ્રેટ રાખે છે અને સવારે વધુ પડતું ખાવાની ઇચ્છાને દૂર કરે છે.
જો દરરોજ સવારે પાણી પીઓ છો, તો ત્વચાનો રંગ પણ સુધરે છે. તે શરીરમાંથી ગંદકી દૂર કરવાનું કામ કરે છે અને શરીરમાં નવા કોષો વધારવાનું પણ કામ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech