જ્હાનવી કપૂરે શા માટે પંકજ ત્રિપાઠી માટે રાખી હતી મન્નત?
2018માં ધડક દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી જાન્હવી કપૂર ઘણીવાર એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે પોતાની એક્ટિંગનો જાદુ બતાવશે. જ્હાન્વી કપૂરની આ આઠમી ફિલ્મ છે. તે તેના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ જ્હાન્વીને તેના ફેવરિટ એક્ટર સાથે કામ કરવા વિશે પૂછવામાં આવ્યું હતું, જેમાં તેણે બધાને ચોંકાવી દે એવા જવાબ આપ્યા હતા.
જ્હાન્વી પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા હતી ઉત્સુક
જ્હાનવી કપૂર તાજેતરમાં જ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશન માટે પહોંચી હતી. ત્યાં તેણે ગુંજન સક્સેનાના શૂટિંગ દરમિયાન બનેલી ઘટનાઓને યાદ કરી. જ્હાન્વીને એવા અભિનેતાનું નામ પૂછવામાં આવ્યું કે જેની સાથે કામ કરવું તેની યાદીમાં સામેલ છે. આના પર જ્હાન્વીએ પંકજ ત્રિપાઠીનું નામ લીધું. તેણીએ કહ્યું કે પંકજ ત્રિપાઠી તેની યાદીમાં સામેલ છે જેની સાથે તે કામ કરવા માંગતી હતી.
જ્હાન્વી પંકજ ત્રિપાઠી માટે બની શાકાહારી
જ્હાન્વી કપૂરે વધુમાં કહ્યું હતું કે ગુંજન સક્સેનાના સેટ પર હાજર લોકો સારી રીતે જાણે છે કે હું તેની મોટી ફેન છું અને હું ત્યાં પાગલ જેવું વર્તન કરતી હતી. પંકજ ત્રિપાઠી ફિલ્મ માટે હા પાડે એ માટે મેં મન્નત માની હતી. એટલું જ નહીં મેં 10-12 દિવસ માટે નોન-વેજ ખાવાનું પણ છોડી દીધું હતું અને સંપૂર્ણ શાકાહારી બની ગઈ હતી. જ્યારે મને ખબર પડી કે પંકજજીએ આ ફિલ્મ માટે હા પાડી છે, ત્યારે હું ખૂબ જ ખુશ થઇ હતી.
પંકજ ત્રિપાઠીએ જ્હાન્વીના પિતાની ભૂમિકા ભજવી હતી
જ્હાન્વી કપૂરે વર્ષ 2020માં રિલીઝ થયેલી ગુંજન સક્સેનામાં પાયલટની ભૂમિકા ભજવી હતી. કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર પાયલટ ગુંજન સક્સેનામાં પંકજ ત્રિપાઠીએ જ્હાન્વી કપૂરના પિતાની ભૂમિકા ભજવી હતી. પંકજ ત્રિપાઠી ફિલ્મમાં જ્હાન્વીને પૂરો સાથ આપતા જોવા મળે છે. ભૂતકાળના ઘણા ઇન્ટરવ્યુમાં બંનેએ એકબીજાના ખૂબ વખાણ કર્યા છે.
મિસ્ટર એન્ડ મિસિસ માહી ક્યારે થશે રિલીઝ?
જ્હાનવી કપૂરની મિસ્ટર એન્ડ મિસિસ માહીની વાત કરીએ તો આ ફિલ્મના ટ્રેલરમાં આપણે જ્હાનવી અને રાજકુમાર રાવ વચ્ચેની કેમેસ્ટ્રી જોઈ છે. આ એક પરિણીત યુગલ માહી અને મહિમાની વાર્તા છે. માહીનું ક્રિકેટર બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે, તેને આ વાતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે તેની પત્નીને રમતને પ્રેમ કરતી જુએ છે. આ ફિલ્મનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે. તેના સ્ક્રિપ્ટ રાઈટર નિખિલ મેહરોત્રા અને શરણ શર્મા છે. ઝી સ્ટુડિયો અને ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર, હીરૂ યશ જોહર, અપૂર્વ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. મિસ્ટર એન્ડ મિસિસ માહી 31 મે, 2024ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech