આંધ્ર પ્રદેશ સરકારે તિરુપતિ લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં કથિત ભેળસેળની તપાસને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT ની તપાસને 3 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી અટકાવી દીધી છે.
આંધ્ર પોલીસ અધિકારી દ્વારકા તિરુમાલા રાવે જણાવ્યું હતું કે તપાસની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે "સાવચેતીના પગલા" તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
"સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને ધ્યાનમાં રાખીને અમે હાલ માટે તપાસ અટકાવી દીધી છે. અમારી ટીમે અનેક સ્થળોનું નિરીક્ષણ કર્યું છે, કેટલાક લોકોના નિવેદનો નોંધ્યા છે અને આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે."
SITએ લોટ મિલની તપાસ કરી
સોમવારે, એસઆઈટીએ તિરુમાલામાં લોટ મિલનું નિરીક્ષણ કર્યું, જ્યાં લાડુ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પહેલા ઘીનો સંગ્રહ કરવામાં આવે છે, જે દર વર્ષે મંદિરની મુલાકાત લેનારા લાખો ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
ચંદ્રબાબુ નાયડુએ લેબ ટેસ્ટના રિપોર્ટને ટાંકીને આરોપ લગાવ્યો છે કે, તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર સ્વામી બાલાજી મંદિરના પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા શુદ્ધ દેશી ઘીમાં પશુ માંસ અને અન્ય સડેલા પદાર્થોની ભેળસેળ કરવામાં આવી છે. જ્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ વાઈ વી સુબ્બા રેડ્ડીએ તેમની અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હેઠળ સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરીને આ આરોપોની તપાસ કરવાની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech