તમે બધાને સાથે ખુશ કરી શકો જ નહી
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા દેશના ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરમાંથી એક છે. એક સારી ડાન્સર હોવાની સાથે તે એક સારી કોરિયોગ્રાફર પણ છે. તેના ડાન્સ વીડિયોના કારણે તે અવારનવાર ફેન્સમાં ચર્ચાનો વિષય બની જાય છે. ખાસ વાતચીતમાં તેણે ઓનલાઈન ટ્રોલિંગ વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે તમે એક જ સમયે બધાને એક સાથે ખુશ કરી શકો જ નહી.
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ ‘ઝલક દિખલા જા’માં એન્ટ્રી કરી છે. ધનશ્રી સોની ટીવીના આ ડાન્સ રિયાલિટી શોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે સામેલ થઈ છે. ધનશ્રી સોશિયલ મીડિયા પર રીલ્સ પોસ્ટ કરવાથી લઈને તે એક સારી ડાન્સર પણ છે. પરંતુ તેના ડાન્સ વીડિયો અવારનવાર ટ્રોલ કરવામાં આવે છે. વાતચીતમાં ધનશ્રીએ આ ઓનલાઇન ટ્રોલિંગ વિશે ખુલીને વાત કરી. ધનશ્રી કહે છે કે તમે બધાને ખુશ નથી રાખી શકતા.
ધનશ્રીએ કહ્યું, “હું ઘણા સમય પહેલા શીખી ગઈ હતી કે હું મારી કળાથી દરેકને પ્રભાવિત કરી શકતી નથી. તમે જે કરો છો તે દરેકને ન ગમે. હું એવું વિચારીને આગળ વધતી નથી કે જો હું કંઈક કરીશ તો બધા ખુશ થશે. જીવન આવું છે. કેટલાક લોકો તમારાથી ખુશ થશે, કેટલાક લોકો નહીં. તમારે આગળ વધવું જ પડશે. લોકો તો ટ્રોલ કરતા રહે છે, ક્યારેક એક ટકા, ક્યારેક બે ટકા કે ક્યારેક 10 ટકા, હું તેમનું ધ્યાન ન આપીને આગળ વધીશ. કારણ કે તે મારા માટે નથી થઈ રહ્યું. આવું દરેક સાથે થાય છે અને આગળ પણ ચાલુ રહેશે. તમારે શું જોઈએ છે તે તમારે નક્કી કરવાનું છે. મેં ઘણા સમય પહેલા આ બધાને ધ્યાન ન આપવાનું શીખી લીધું છે.”
ઝલકમાં જોવા મળશે ધનશ્રી વર્મા
ઝલકના સ્ટેજ પર તેના અદ્ભુત ડાન્સ મૂવ્સને બતાવવા માટે ધનશ્રી તૈયાર છે . પતિ યુઝવેન્દ્રએ શું સલાહ આપી જ્યારે પૂછવામાં આવ્યું કે તેના જવાબમાં ધનશ્રીએ કહ્યું કે “તેને મને કોઈ સલાહ આપી નથી. કારણ કે હું ડાન્સ કરવાનું જાણું છું. પરંતુ તેનો સપોર્ટ અને શુભેચ્છાઓ હંમેશા મારી સાથે રહે છે. તે હંમેશા કહે છે કે તમે જે પણ કરો તે તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરો. તે હંમેશા મારા ખૂબ વખાણ કરે છે. તે મને દરેક બાબતમાં પ્રોત્સાહિત કરે છે. આ વસ્તુ અમારા બંનેમાં છે, અમે હંમેશા એકબીજાને પ્રોત્સાહિત કરતા રહીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech