રામ ભક્તો 22મી જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યામાં સર્વત્ર રામનામનો ગુંજ સંભળાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આખો દેશ ભગવાન રામના મંદિરમાં પાછા ફરવાની ઉજવણી કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરને દેશ વિદેશના 50 હજાર કિલો ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ રામ લલ્લાની શોભાયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. AAP નેતાના જણાવ્યા અનુસાર, સમગ્ર દિલ્હીમાં સરઘસ કાઢવામાં આવશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી સમગ્ર દિલ્હીમાં ભંડારાનું પણ આયોજન કરશે. શોભાયાત્રા અને ભંડારામાં પાર્ટીના મોટા નેતાઓ પણ ભાગ લેશે.
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ તમામ સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના એલજી વિનય સક્સેનાને પ્રસ્તાવ મોકલ્યો હતો. શનિવારે એલજીએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અડધા દિવસની રજાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. એલજી તરફથી રજાની મંજૂરી મળ્યા બાદ દિલ્હી સેવા વિભાગના વિશેષ સચિવે આ અંગે જરૂરી આદેશો જારી કર્યા હતા.
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના મહત્વને ધ્યાનમાં રાખીને સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર 20 જાન્યુઆરીથી શનિવારથી ત્રણ દિવસીય રામલીલાનું આયોજન કરી રહી છે. આજે દિલ્હીના સીએમ રામલીલા જોવા પહોંચશે. દિલ્હી સરકાર દ્વારા ITO નજીક સ્થિત પ્યારેલાલ ઓડિટોરિયમમાં 22 જાન્યુઆરી સુધી રામલીલાનું આયોજન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech