રાજકોટ મહાપાલિકામાં હાલ સુધી પ્રતિ નકલ દીઠ રૂ.પાંચ વસૂલીને જન્મ મરણ નોંધણી સર્ટિફિકેટની કોપી અપાતી હતી, દરમિયાન આજથી પ્રતિ નકલ દીઠ રૂ.૫૦ની ફી વસુલવાનું શરૂ કરાતા હોબાળો બોલી ગયો હતો. અનેક અરજદારોએ તો ઘરે પૈસા લેવા દોડવું પડ્યું હતું. પ્રથમ પાંચ નકલ ફ્રી આપીશું તેવી બજેટમાં કરેલી જાહેરાતનો અમલ તો શક્ય બન્યો ન હતો, ઉલટું ફીમાં દસ ગણો વધારો લાગુ થતા અરજદારોની હાલત માઠી થઇ ગઇ હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી જન્મ-મરણના દાખલાની ફીમાં દસ ગણો વધારો ઝીંકી અમલવારી શરૂ કરી દેવામાં આવતા હોબાળો મચી ગયો હતો. તાજેતરમાં મ્યુનિસિપલ બજેટમાં જોગવાઈ કરી જન્મ-મરણના પ્રથમ પાંચ દાખલા ફ્રી કાઢી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જેના એક સપ્તાહ બાદ આજ તંત્રએ જન્મ-મરણના દાખલાની ફીમાં દસ ગણો તોતીંગ વધારો ઝીંકી દીધો હતો છતાં પ્રથમ પાંચ દાખલા ફ્રીમાં મળશે તેવું લોકોને લાગતું હતું. પરંતુ દસ ગણા ફી વધારાની અમલવારી શરૂ થઈ છે ત્યારે પ્રથમ પાંચ દાખલા ફ્રી આપવાનો નિયમ અમલમાં આવશે કે કેમ ? તે અંગે પ્રશ્નાર્થ સર્જાઇ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમિલકતોના દસ્તાવેજો રદ કરવાનો ટ્રસ્ટના નામે થયેલો દાવો નામંજૂર
May 10, 2025 03:03 PMભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવવા બદલ ચાર બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલ બ્લોક
May 10, 2025 03:01 PMમિલકત વેરા વળતર યોજના:૧,૮૬,૪૫૯ કરદાતાઓએ ૧૧૭ કરોડ ભરપાઇ કર્યા
May 10, 2025 02:48 PMરાજકોટમાં દરરોજ ૩૮ આવશ્યક ચીજનાભાવનું મોનિટરિંગ કરવા કલેક્ટરનો આદેશ
May 10, 2025 02:43 PMખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech