વાહન વેચો છો તેની ઘસારા બાદની કિંમત કરતા તેની વેચાણ કિંમત ઓછી હશે તો તેના પર પણ જીએસટી નહીં લાગેતો જૂના વાહનોના વેચાણ પર જીએસટી લાગુ પડતો નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ફક્ત નોંધાયેલા વ્યક્તિઓ જેમ કે જૂના અને વપરાયેલા વાહનોની ખરીદી અને વેચાણમાં સામેલ વ્યવસાયો, માર્જિન પર જીએસટી ચૂકવવા માટે જવાબદાર છે. શનિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં, કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહનો સહિત તમામ જૂના અને વપરાયેલા વાહનોના વેચાણના માર્જિન પર 18 ટકા જીએસટીની ભલામણ કરી હતી. અથર્તિ જો તમે જે વાહન વેચો છો તેની ઘસારા બાદની કિમત કરતા તેની વેચાણ કીમત ઓછી હશે તો તેના પર જીએસટી નહીં લાગે. અગાઉ, જૂના વાહનો અને જૂની ઇલેક્ટ્રિક વેહિકલ્સ ના વેચાણ પર અલગ અલગ જીએસટી દર લાગુ પડતા હતા.
ઉદાહરણ તરીકે, જો કોઈ નોંધાયેલ વ્યક્તિ 10 લાખ રૂપિયામાં જૂનું અને વપરાયેલું વાહન વેચે છે, જ્યાં વાહનની ખરીદી કિંમત 20 લાખ રૂપિયા હતી અને 8 લાખ રૂપિયાનો ઘસારો દાવો કરવામાં આવ્યો છે, તો કોઈ જીએસટી ચૂકવવાની જરૂર નથી. આનું કારણ એ છે કે સપ્લાયરનું માર્જિન જે વેચાણ કિંમત (10 લાખ રૂપિયા) અને અવમૂલ્યન મૂલ્ય (12 લાખ રૂપિયા એટલે કે 20 લાખ રૂપિયા - 8 લાખ રૂપિયા) વચ્ચેનો તફાવત છે, તે નકારાત્મક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech