9 સપ્ટેમ્બરે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક યોજાશે. આ બેઠક ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં સૌથી ખાસ વાત એ છે કે, આ બેઠકમાં વીમા પર જીએસટી હટાવવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. વાસ્તવમાં, વીમા પર જીએસટી હટાવવાની ચર્ચા ઝડપથી ચાલી રહી છે. સંભવ છે કે, નાણામંત્રી 9મી સપ્ટેમ્બરે આ બેઠકમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. GST કાઉન્સિલે ટ્વિટર પર તેના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. GST કાઉન્સિલની બેઠક 9 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે.
આ હશે મહત્વપૂર્ણ મુદ્દાઓ
આ બેઠકમાં વીમા પર GST ઉપરાંત વ્યાજ દરોને સરળ બનાવવા, ટેક્સ સ્લેબ ઘટાડવા અને GST હેઠળ ઇન્વર્સ ડ્યુટી દૂર કરવા પર ચર્ચા થવાની અપેક્ષા છે. GST કાઉન્સિલ, જેમાં કેન્દ્ર અને રાજ્યોના નાણા પ્રધાનોનો સમાવેશ થાય છે, તે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંબંધિત સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. આ સંસ્થા 1 જુલાઈ, 2017થી કામ કરી રહી છે.
વીમા અંગે નિર્ણય શક્યતા
એવું પણ માનવામાં આવે છે કે, વીમા અંગે નિર્ણય લેવામાં આવશે કારણ કે તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે સંસદમાં નિવેદન આપ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, સરકાર જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રિમીયમ પર 18% GST હટાવવા પર વિચાર કરી શકે છે. વાસ્તવમાં, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા વીમા પર જીએસટી હટાવવાની માંગ કરવામાં આવી હતી. નીતિન ગડકરીએ નાણામંત્રીને પત્ર લખીને વીમો હટાવવાની માંગ કરી હતી. હાલમાં 18 ટકા GST લાદવામાં આવ્યો છે.
23 જૂને યોજાઈ હતી આ બેઠક
અગાઉ GST કાઉન્સિલની બેઠક 23 જૂને યોજાઈ હતી. આ બેઠક બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, દરોના તર્કસંગતકરણ પર બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુમંત ચૌધરીના નેતૃત્વમાં રચાયેલ પ્રધાન જૂથ (GoM) કામની સ્થિતિ અને સમિતિ દ્વારા આવરી લેવામાં આવેલા પાસાઓ અને બાકી કામ અંગે ચર્ચા કરશે. સમિતિ સમક્ષ રજૂઆત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં આ મુદ્દે સર્વસંમતિ સધાઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech