@કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં ઉપસરપંચ પર થયેલ હત્યાના પ્રયાસના કેસમાં ત્રણ આરોપીઓને જામીન મુકત કરતી જામનગર સેસન્સ કોર્ટ
આ કેશની ટુકી વીગત એમ છે કે તા. ૨૮/૧૨/૨૦૨૪ ના રોજ ફરીયાદી શીશાંગ ગામના ઉપસરંપચ હોય રાત્રીના બારેક વાગ્યાની આસપાસ તેમને મળેલ માહીતી મુજબ ગ્રામપંચાયત ની ઓફીસ પાસે ચાર ઈસમો છે અને તેઓ ત્યાં ગાડીના ટાયર કાઢે છે તેવી માહીતી મળતા ફરીયાદી ત્યાં ગયેલ તો તેવામાં ત્યાં શીશાંગ ગામના ત્રણ યુવાનો અને એક અજાણ્યા ઈસમ સહીત કુલ ચાર વ્યકતીઓ હાજર હોય અને ગાડીના કાગળીયા માંગતા તે અંગે વીવાદ થતા અજાણ્યા ઈસમ દવારા ફરીયાદીને છરી મારેલ હતી.
જયારે બાકીના આરોપીઓ એ ફરીયાદીને ઢીકા પાટુનો માર મારેલ જે બાબતની ફરીયાદ કાલાવડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા આરોપીઓ રોહીત દીનેશભાઈ પરમાર તથા ચીરાગ જન્તીભાઈ પરમાર તથા હિતેષભાઈ મનજીભાઈ પરમાર તથા એક અજાણ્યા વ્યકતી એમ કુલ ચાર ઈસમો સામે ફરીયાદ આપતા આરોપીઓ સામે બી.એન.એસ ની કલમ ૧૦૯(૧) ,૧૧૫(૨), ૧૧૮(૧), ૩પર તથા ૫૪ તથા જી.પી. એકટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવેલ અને ચારેય આરોપીઓ ને અટક કરવામાં આવ્યા હતા.
આ કામના આરોપીઓ એ તેમના વકીલ અશોક એચ.જોશી મારફત જામનગર સેસન્સ કોર્ટમાં જામની મુક્ત થવા અરજી કરતા બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચાર આરોપીઓ પૈકી ૩ આરોપીઓ રોહીત દીનેશભાઈ પરમાર તથા ચીરાગ જન્તીભાઈ પરમાર તથા હીતેષભાઈ મનજીભાઈ પરમાર ને જામીન અરજી મંજુર કરી અને જામની મુકત કરવા હુકમ કરવામાં આવેલ છે
હાલના કેસમાં આરોપીઓના વકીલ તરીકે અશોક એચ.જોશી રોકાયેલા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech