ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ભારતે હવે જળ મોરચે પણ કડક વલણ અપનાવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમ અને બગલીહાર ડેમના અનેક દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે પાકિસ્તાન તરફ વહેતા પાણીનો પ્રવાહ વધી ગયો છે. સવારે રામબનમાં ચેનાબ નદી પર બનેલા બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા ભારતે પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા માટે સલાલ અને બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા હતા. આના કારણે પાકિસ્તાનમાં ચિનાબ નદીના પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. જ્યાં પહેલા પાણીનું સ્તર 25 થી 30 ફૂટ હતું, તે હવે ઘટીને માત્ર 2 થી 3 ફૂટ થયું છે પરંતુ હવે ભારે વરસાદ અને જળાશયો ભરાયા પછી ભારતે દરવાજા ખોલી નાખ્યા છે, જેના કારણે મોટા પ્રમાણમાં પાણી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે.
ભારતના આ પગલાથી પાકિસ્તાનની પહેલેથી જ નબળી અર્થવ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા પર વધુ દબાણ આવ્યું છે. નિષ્ણાતો કહે છે કે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં થયેલી સિંધુ જળ સંધિ વિશ્વ બેંકની મધ્યસ્થી દ્વારા લાગુ કરવામાં આવી હતી. આ સંધિ હેઠળ, ભારતને પૂર્વીય નદીઓ (સતલજ, રાવી, બિયાસ) પર અધિકાર મળ્યો હતો અને પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ, ચિનાબ) પર અધિકાર મળ્યો હતો પરંતુ તાજેતરમાં પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે આ સંધિ રદ કરવા તરફ પગલાં લીધાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMજામનગરમાં મનીષ ડાંગરિયા સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ પર પોસ્ટ કરતા નોંધાઈ ફરિયાદ
May 09, 2025 05:38 PMજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech