આજે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં મલ્લિકાર્જુન ખડગે સહીત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના ખાતા ફ્રીઝ કરવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે દેશમાં લોકશાહી નથી. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાની વાત ખોટી છે. ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે.
સરકાર પર ખાતાઓ ફ્રીઝ કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું, "અમારા નેતાઓ હવાઈ મુસાફરી કરી શકતા નથી. તેઓ ટ્રેનમાં પણ મુસાફરી કરી શકતા નથી. અમારા નેતાઓને એક શહેરમાંથી બીજા શહેરમાં મોકલવા અમારા માટે મુશ્કેલ છે." " તેમણે કહ્યું, " દેશના 20 ટકા લોકો અમને મત આપે છે, પરંતુ આજે અમે 2 રૂપિયા પણ કોઈને આપી શકતા નથી. અમને ચૂંટણીમાં પંગુ બનાવવાવા માટે આવું કરવામાં આવ્યું છે."
રાહુલે બંધારણીય સંસ્થાઓ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું, "દેશમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં છે. કોર્ટ, ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓએ આ બધું જોઈને પણ કંઈ કહ્યું નથી. ચૂંટણી પંચે પણ કંઈ કહ્યું નથી. આ ગુનાહિત કૃત્ય છે." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, "ભારતમાં લોકશાહી છે તે વાત તદ્દન ખોટી છે. ભારતમાં લોકશાહી નથી. દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાની વાત ખોટી છે કારણ કે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે."
કોંગ્રેસના નેતાએ કહ્યું, "પાર્ટીને અમારા ખાતાઓ અંગે બે નોટિસ મળી છે. એક નોટિસ 90ના દાયકાની છે, જ્યારે બીજી 7 વર્ષ જૂની છે. અમને જે કેસમાં આ નોટિસ મળી છે, તેમાં મહત્તમ દંડ 10,000 રૂપિયા છે. પરંતુ અમને સજા કરવામાં આવી રહી છે." તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, "અમારા માટે ચૂંટણી પ્રચાર કરવો મુશ્કેલ બની ગયો છે. એક રીતે આ એક ગુનાહિત કાર્યવાહી છે. આ બધું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech