@aajkaldigitalteam
લોકસભાની ચૂંટણી માટે છ મહિના કરતા પણ ઓછો સમય છે. ત્યારે લોકસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ રણનીતિ તૈયાર કરવાનું આયોજન કરી દીધું છે. ભાજપ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. માનવામાં આવે છે કે લોકસભાની ચૂંટણી લડનારા ઉમેદવારોની યાદીમાં રાજ્યસભાના ઘણા સાંસદોના નામ પણ સામેલ હશે જેઓ કેન્દ્રમાં મંત્રી છે.
ભાજપે વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને જેઓ રાજ્યસભામાં તેમની ત્રીજી મુદત પૂરી કરી રહ્યા છે તેમને લોકસભાની ચૂંટણી લડવા જણાવ્યું છે. જેથી તેઓ સંસદમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી શકે. આમાં તે નેતાઓ પણ સામેલ છે જે મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આવા નેતાઓને તેમની પસંદગીની બેઠક પસંદ કરવા માટે પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વની અધ્યક્ષતામાં મળેલી સંગઠનાત્મક બેઠકમાં આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ માટે બેઠકમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું હતું. જ્યાં ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચાર કેન્દ્રીય મંત્રીઓ સહિત 18 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારે ભાજપે અપનાવેલી રણનીતિમાં સારા પરિણામો જોવા મળ્યા હતા. આથી, વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ મોટા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપનું માનવું છે કે આ વ્યૂહરચના વિધાનસભાની ચૂંટણીમાં સફળ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ આ વ્યૂહરચના ફાયદાકારક સાબિત થઈ શકે છે એ વાત ધ્યાને રાખવામાં આવી છે. આથી, ઓછામાં ઓછા એક વર્તમાન કેન્દ્રીય મંત્રી સહિત પાર્ટીના ઓછામાં ઓછા બે દિગ્ગજ નેતાઓને દિલ્હીથી મેદાનમાં ઉતારવાની અપેક્ષા છે.
કેન્દ્રીય મંત્રીઓ જે રાજ્યસભાના સાંસદ છે તેમાં રાજીવ ચંદ્રશેખર, પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણેનો સમાવેશ થાય છે. કર્ણાટકના ચંદ્રશેખર અને નિર્મલા સીતારમણ, મહારાષ્ટ્રના ગોયલ અને ગુજરાતના રૂપાલા એ ભાજપના નવ નેતાઓમાં સામેલ છે જેઓ હાલમાં ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ છે. આ યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સભ્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech