ભાટીયામાં તા.24/11ના રવિવારે કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના(આર્થિક સહયોગ) દ્વારા આયોજીત રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટની હોસ્પીટલના નિષ્ણાંત ડો.ની ટીમ દ્વારા ભાટીયા મુકામે સરકારી દવાખાના માં યોજાયેલ 112 માં આંખના કેમ્પમાં 108 દર્દીઓનુ નિદાન કરવામા આવેલ.
જેમા જરીયાતવાળા દર્દીઓને ટીપા આપવામા આવેલ અને મોતીયાના ઓપરેશનની જરીયાત વાળા 58 દર્દીઓને હોસ્પીટલની બસ દ્વારા રાજકોટ લઈ જઈ ઓપરેશન કરી વિના મુલ્યે નેત્રમણી બેસાડી આપેલ તથા ઓપરેશનની તમામ સારવાર, રહેવા, જમવા, ચા-નાસ્તો, ચશ્મા, દવા-ટીપા વગેરે વિના મુલ્યે આપવામા આવેલ અને કેમ્પના સ્થળે ભાટીયા મુકામે પરત મુકી જવામા આવેલ હતા.
આ કેમ્પમા ભાટીયાના ડાડુભાઈ આંબલીયા, દેવેન લાલ, જીવનભાઈ પાણખણીયા, સાગર ઝાલા, સરદારજી, મણીભાઈ બારાઈ વગેરેએ સેવા આપેલ આ કેમ્પનુ સંપુર્ણ સંચાલન કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના પ્રમુખ-કિશોરભાઈ દતાણીએ વ્યવસ્થિત અને સુંદર રીતે સંચાલન કરી જહેમત ઉઠાવી સફળ બનાવેલ, આ કેમ્પ દર માસના છેલ્લા રવિવારે યોજવામા આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech