જામનગરના સ્વામી પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે આજ થી ૪૦ દિવસીય ચાલીસા મહોત્સવ નો પ્રારંભ

  • May 22, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૪૦ દિવસીય કૃષ્ણભક્તિ - ગુરુ મહારાજ સ્વામી ટેઉરામ ની ભક્તિ ના ગુણગાન કરી ઉજવણી કરાશે.

જામનગર ના નાનકપુરી ખાતે આવેલ સ્વામી પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે આચાર્ય સતગુરુ સ્વામી ટેઉરામ મહારાજનો ૪૦ દિવસીય સત્સંગ, ભજન, ભાવ સાથે ચાલીસા મહોત્સવ ની આયોજન કરવામાં આવ્યું છે


આ ચાલીસા મહોત્સવ તારીખ ૨૧ મે થી ૩૦ જૂન ૪૦ દિવસ સુધી પ્રભાત કાળે સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦ વાગ્યે અને શમી સંધ્યાની સાંજે૦૬:૩૦ થી ૦૮:૩૦ વાગ્યે અને રાત્રી શયન કાળે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે સત્સંગ, ભજન, ભાવ સાથે ૪૦ દિવસ સુધી નિતનેમ થી ગુરુ મહારાજ અને કૃષ્ણ ભક્તિ સાથે આ ચાલીસા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે આ તકે સર્વે ધર્મ પ્રેમીઓ ને ચાલીસા મહોત્સવ ઉજવણી માં શામિલ થઈ આ ધાર્મિક મહોત્સવ નો લાભ લેવા સ્વામી શાંતિ પ્રકાશ આશ્રમ જામનગર ની અખબારી યાદી માં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application