જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટની પ્રશંસનીય કામગીરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમય થયા જીવદયાના ક્ષેત્રમાં કાર્યરત એવા અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા દર વર્ષે હજારો સરીસૃપનું બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત જૂનના એક જ માસમાં ભાણવડ અને આસપાસના ગામોમાં જુદી - જુદી જગ્યાએથી 81 જેટલા સાપોના રેસ્ક્યુ કરીને તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા.
રેસ્ક્યુ કરાયેલા સાપોમાં 39 કોબ્રા, 12 ધામણ, 3 અજગર, 8 જળસાપ 2 મગર મળી ફૂલ 81 સરીસૃપોનું રેસ્કયુ ઓપરેશન કરાયું હતું. એટલું જ નહીં, ઘાયલ સાપ કે અજગરની સારવાર પણ કરાઈ હતી અને ત્યાર બાદ તેને બરડા ડુંગરના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા સાપ પકડનાર લોકોએ આવા જીવોને બચાવવા એ આર્થિક પ્રવૃત્તિ બનાવી લીધી છે અને સાપ પકડવા માટે મોટી રકમ વસૂલે છે. ત્યારે અશોકભાઈ ભટ્ટ અને તેની ટીમના સભ્યો દ્વારા આ સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.
વળી, હાલ ચોમાસાની ઋતુમાં સાપ કે સરીસૃપો પોતાના દરમાં પાણી જવાથી બહાર નીકળતા વધુ જોવા મળતા હોય છે. તો ઘર કે ઘરની આસપાસ આવા જીવો ક્યાંય જોવા મળે તો તેને મારવાને બદલે વન વિભાગ કે રેસ્કયુઅરનો સંપર્ક કરી, તેને રેસ્કયુ કરાવવા પણ અપીલ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech