વાડીમાં કામકાજ કરવા બાબતે પિતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી જંતુનાશક દવા પી લઇ આપઘાત કર્યો
જામનગર તાલુકાના વાવડી ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની ૧૫ વર્ષની તરુણીએ ઝેર પીલઇ આપઘાત કરી લીધો છે. વાડીમાં કામકાજ કરવા બાબતે પિતાએ ઠપકો આપતાં સહન નહીં થવાથી આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની, અને હાલ લાલપુર તાલુકાના વાવડી ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની લલીતાબેન જાગતીયા ભાઈ બામણીયા નામની ૧૫ વર્ષની પુત્રીએ ગઈકાલે પોતાની વાડીમાં પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણી નું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક ની માતા વરલીબેન જાગરીયા ભાઈ બામણીયાએ પોલીસને જાણ કરતાં લાલપુર ના એ. એસ.આઈ. ડી.સી ગોહિલે હોસ્પિટલમાં પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકને વાડીમાં ખેત મજૂરી કામ કરવું ગમતું ન હતું. જેથી તેના પિતાએ કામકાજ કરવા બાબતે ઠપકો આપ્યો હતો, જે ઠપકો સહન નહીં થતાં આત્મઘાતી પગલું ભરી લીધાનું જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMલાલપુરમાં ઢાંઢર નદીના કાંઠે રૂ.૫૨.૪૬ લાખનો દારૂ નાશ કરવામાં આવ્યો
May 05, 2025 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech