જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતી એક સગર્ભા યુવતીને એકાએક આંચકી ઉપડ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના ગિંગણી ગામમાં રહેતી ભાવનાબેન ભગવાનજીભાઈ સોલંકી કે જે ૩૦ વર્ષીય યુવતીને સાત માસનો ગર્ભ હતો, અને તેણીને ગઈકાલે આંચકી આવતાં પરિવારજનો સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેણી નું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ ભગવાનજીભાઈ સોલંકી એ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ભાવનાબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને તેના લોહીના નમૂનાઓ એકત્ર કરીને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech