જામનગર : ધ્રોલના વિરાણી ખીજડીયામાં ૪૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

  • February 25, 2026 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલના વિરાણી ખીજડીયા ગામમાં ૪૫ વર્ષના યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ હાર્ટએટેકથી મૃત્યુ નિપજયાનું બહાર આવ્યું છે, બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે, નાની વયે હૃદયરોગના ઘાતક હુમલાના બનાવો ચિંતાનું કારણ બન્યા છે.


ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા ગામમાં રહેતા મુકેશભાઈ પુનાભાઈ ગોહિલ નામના ૪૫ વર્ષના યુવાનને પોતાના ઘેર અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેને સારવાર માટે પડધરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.


આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઈ પુનાભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજા પડધરીની હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
​​​​​​​

છેલ્લા ઘણા સમયથી યુવા વર્ગમાં હૃદયરોગના જીવલેણ હુમલાના બનાવો સામે આવી રહયા છે જેનાથી ચિંતાની લાગણી જન્મી છે, તાજેતરના જુદા જુદા બનાવોમાં યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજયા હતા, દરમ્યાન વધુ એક બનાવ સામે આવતા શોકની લાગણી પ્રસરી ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application