જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતા એક દિવ્યાંગ યુવાને પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતા અને નાનપણથી બંને પગમાં દિવ્યાંગ એવા રાજેશ અમૃતલાલ ખખ્ખર નામના ૪૮ વર્ષના યુવાને પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઇ પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતક ના માતા અરુણાબેન મહેશભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય ના એ.એસ.આઈ.જી.આઈ. જેઠવા એ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech