જામનગરમાં રહેતા એક સરકારી કર્મચારી પોતાનું બાઈક લઈને કાલાવડ- ધોરાજી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સરવણીયા ગામના પાટીયા પાસે એક કારનાચાલકે હડફેટમાં લઈ હેમરેજ તથા ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ -ઘેડ ઇન્દિરા સોસાયટીમાં રહેતા અને સરકારી નોકરી કરતા નરેશભાઈ હરજીભાઈ પરમાર (૩૪ વર્ષ)કે જેઓ તારીખ ૧૭મી જાન્યુઆરીના દિવસે પોતાનું બાઈક લઈને કાલાવડ-ધોરાજી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સરવણીયા ગામના પાટીયા પાસે જીજે ૧૧ બી.આર. ૪૮૯૩ નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં નરેશભાઈ પરમાર ને માથા ના ભાગે હેમરેજ તેમજ ડાબા હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજા થઈ હતી, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અકસ્માત ના બનાવ અંગે નરેશભાઈ પરમારે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરાર થઈ ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
***
કલ્યાણપુર નજીક મોટરકારનો અકસ્માત: ચાલક ઇજાગ્રસ્ત
કલ્યાણપુરથી આશરે ૩૫ કિલોમીટર દૂર ભોગાત ગામના વાડી વિસ્તારમાંથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. ૧૦ બીઆર ૯૯૭૧ નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલક હેમતભાઈ કેશુરભાઈ કંડોરીયાએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ભોગાત ગામના કેશુભાઈ ધનાભાઈ કંડોરીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કારચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech