તપોવન ફાઉન્ડેશન માતૃશ્રી ઇચ્છા ગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્ય ધામ આયોજીત માતા-પિતા વિહોણી સર્વ જ્ઞાતિની 16 દિકરીઓનો દ્વિતિય ભવ્ય લગ્ન સમારોહ-2024 રવિવારે ઓશવાળ સેન્ટર ખાતે યોજાયો હતો, જેમાં દિકરીઓને કરીયાવરમાં 153થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી, સંસ્થાના ફાઉન્ડર રાજેનભાઇ જાની, પુર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પરેશભાઇ જાની, નરેન્દ્રભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મહંતપીર યોગી પૂ.શેરનાથજી બાપુ ભવનાથ જુનાગઢ, આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ ખીજડા મંદિર, પૂ.મુકતાનંદજી બાપુ ચાપરડા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા કલેકટર ભાવીન પંડયા, ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, વી.પી.મહેતા, રોહીતભાઇ મા, ભીખુભાઇ વારોતરીયા, આર.કે.શાહ, મનસુખભાઇ રાબડીયા, શિવસાગરભાઇ શમર્,િ હસમુખભાઇ હીંડોચા સહિતના અગ્રણીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતાં. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાની અને સાંસદ પૂનમબેન માડમે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આમ મા-બાપ વિહોણી દિકરીઓના જાજરમાન સમુહ લગ્ન યોજાયા હતાં જેમાં લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech