કોવીડ-19 ની મહામારી બાદ અને ખાસ કરીને વેકસીનના તબક્કા પસાર થયા પછી કે કોઇપણ કારણે છેલ્લા દોઢ-બે વર્ષથી યુવાન વયે કાર્ડીયાએરેસ્ટના બનાવો ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, એકાએક યુવાનોના મૃત થવાની ઘટનાએ તમામને ચિંતામાં ગરકાવ કરી દીધા છે, દરરોજ ઉઠીને ક્યાંકને ક્યાંક યુવાનના હાર્ટએટેકથી નિધનના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ખંભાળીયાના ઘરમપુરમાં માત્ર 3ર વર્ષના યુવાનનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થતાં શોકની સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે.
ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જલાલીયા વાડી વિસ્તારમાં રહેતા હિરેનભાઈ કાંતિલાલ ચોપડા નામના 32 વર્ષના સતવારા યુવાન શનિવારે સવારના સમયે નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપાડતા તેમને તાકીદે સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. યુવાનનું આ રીતે અકાળે અવસાન થતા મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech